Various Uses of Ginger For Health
by Myra Johnson Garavi Gujarat Online Newspaper UKIn winter, fresh, fiber-free ginger are sold a lot in
the market. Generally, ginger are used as pulses, vegetables
and spices. In winters, the practice of putting ginger in tea is prevalent. It is
also used as a mouthwash by drying ginger with
salt and lemon. In this way, traditionally, we
use ginger for
day-to-day use. Come, let us know about some
special properties of ginger and
its usefulness.
Read in article Gujarati
“આરોગ્ય માટે આદુના વિવિધ ઉપયોગ”
આયુર્વેદિક ફિઝિશિયન
શિયાળામાં તાજું, રેસા વગરનું આદુ બજારમાં બહુ વેચાતું જોવા મળે છે. સામાન્ય રીતે આદુનો ઉપયોગ દાળ, શાકમાં મસાલા તરીકે કરવામાં આવે છે શિયાળામાં ચામાં આદુ વાટીને નાખવાનો રિવાજ પ્રચલિત છે. આદુની મીઠું અને લીંબુ નાખીને સૂકવણી કરીને તેનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરાય છે. આમ પરંપરાગત રીતે આપણે આદુને રોજ-બ-રોજના વપરાશમાં લઇએ છીએ. આવો, આદુના થોડા વિશેષ ગુણો તથા તેની ઉપયોગિતા વિશે જાણીએ
આદુના છોડનાં મૂળનો આદુ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ તાજા મૂળને સૂકવી અને તેને પાવડર કરી સૂંઠનું ચૂર્ણ બનાવવામાં આવે છે. આદુ કરતાં સૂંઠમાં ઔષધિય ગુણોની તીવ્રતા જોવા મળે છે તેમ છતાં પણ વિવિધ ઉપાયોથી આદુ પણ દવા જેવું જ કામ કરે છે. આદુમાંથી આદાપાક વિધિવત્ બનાવી તેનો ઉપયોગ શ્વાસ, ખાંસી, અપચો, ભૂખ ન લાગી જેવા કાયમી ઘર કરી ગયેલા રોગમાં નિયમિત થોડો લાંબો સમય કરવાથી કાયમી રાહત મળે છે.
આદાપાક બનાવવાની રીત
તાજું, રેસા વગરનું આદુ લઇ તેનો રસ કાઢવો, આદુના રસ જેટલું જ પાણી ઉમેરી આ મિશ્રણને ઉકાળવું, મિશ્રણ ઉકળવા લાગે ત્યારે તેમાં આદુના રસથી ચાર ગણી સાકરનું ચૂર્ણ અથવા ગોળ ઉમેરી, પાક કરવો. આ પાકમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવિંગ સરખા ભાગે લઇ તેનો ભુક્કો કરી નાખવું. ઉપર જણાવ્યા તે ગરમ મસાલાનું પ્રમાણ આદુના રસ કરતાં દસમા ભાગે રાખી શકાય. આદાપાકનો ઉપયોગ અતિશય ગરમી અને શરદઋતુમાં ન કરવો. રોગીનું બળ વધારે ધ્યાનમાં રાખી આદાપાકનું પ્રમાણ નક્કી કરવું. શ્વાસ, ઉધરસ અને અપચાની કાયમી તકલીફવાળા લોકો 1 નાની ચમચી આદાપાકનું સેવન સવારે નાસ્તો કર્યા પછી અથવા તો બપોરે જમ્યા પછી પણ કરી શકે છે.
આદુનો રસ
• તાજા આદુનો રસ કાઢી તેમાંથી 1 ટેબલસ્પૂન આદુનો રસ, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1 ચપટી સિંધવ ભેળવી જમતા પહેલા પીવાથી ભૂખ ન લાગવી, પાચનની નબળાઇ, જમ્યા પછી પેટ ભારે થઇ જવું જેવી સમસ્યાઓમાં તથા કાયમી જૂની કબજિયાતવાળા દરદીઓને લેવાથી ફાયદો થાય છે.
• આદુનો રસ 1 ટેબલસ્પૂન, લીંબુનો રસ 1 ટેબલસ્પૂન અને મધ 1 ટેબલસ્પૂન ભેળવી તેમાં 1 નાની ચમચી લીંડી પીપરનું ચૂરંણ મિક્સ કરી સવાર – સાંજ જમ્યા પછી અડધું – અડધું ચાટી જવું. આ પ્રયોગથી સૂકી ખાંસી, જૂની ખાંસીમાં ફાયદો થાય છે.
• આદુના ઝીણા ટુકડા કરી, ઉપર લીંબું – મીઠું છાંટી જમતા પહેલા 4-5 નાના ટુકડા ખાવાથી કફ ગળામાં જમા થઇ જતો હોય, જીભમાં છારી બાઝેલી રહેતી હોય, મોંમાં સ્વાદ બરાબર ન આવતો હોય તેવા રોગ મટે છે.
આદુ
Sponsor Ads
Created on Jan 12th 2023 07:13. Viewed 114 times.